સ્વાગતના રંગો
આગમનના એંધાણ થાય છે જ્યારે એના આગમનના,
બદલાય છે રૂખ આ વસંતના પવનના,
ખીલે છે ફૂલો કળીયે- કળીયે એવા,
જાણે સ્વાગતના રંગો ખીલવે છે કુદરત મારા પ્રેમના.
” આ જીદંગી”- અનાયાસ ઝિંઝુવાડીયા

.
.
જીદંગીમા ક્યારેક મળે છે જીદંગીને એક જીદંગી,
પછી એ જીદંગીના સહારે નીકળે છે આ જીદંગીની પૂરી જીદંગી.
પરંતુ જો જીદંગીની રાહ પર સાથ છોડે આ જીદંગીનો જો એ જીદંગી ,
તો પછી જીદંગીને પણ ભારે પડે છે વિતાવવી આ પૂરી જીદંગી.
“કાળા અક્ષર”–અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીના પ્રશ્નોના જવાબ આજે ખુદ પ્રશ્નો બની ગયા,
જોડે ગાળેલા સુઃખ-દુઃખના એ દિવસો આજે યાદો બની ગયા.
કે જોઇ જમાનો તને-મને કહેતો હતો કે વાહ! શું છે આ પ્રેમ કહાની!,
આજે તો ખાલી કાગળ પરના કાળા અક્ષર બની ગયા.
“શોધું છું…..”–અનાયાસ ઝિંઝુવાડીયા

જીદંગીના પ્રશ્નોના જવાબ શોધુ છું,
આજે પણ તારી આંખોમાં એ પ્યાર શોધું છું.
એક સમય હતો કે જ્યારે તું ખોવાયેલી રહેતી હતી મારી યાદોમાં,
આજે એ ખોવાયેલા સમયમાં તારી યાદ શોધું છું.
वजूद – ANAYAS
अपना घर जलाके रोशन करते है चिराग वोह दूसरो के घर के,
जो रोशन-ए च्रिराग से ज्यादा अन्धेरे का वजूद पहचानते है.
और वैसे भी, रोशनी को भी चाहिये होती है अंधेरे की जरूरत अपनी जद्द – ओ – जेहत को छुपाने के लिये,
हमतो वैसे भी आपकी नजरमें इन्सान हुआ करते है.
“ક્યારેક ક્યારેક” – અનાયાસ ઝિંઝુવાડીયા
જીદંગીમાં દિલની દરેક વાત કહેવા માટે હંમેશા હોઠોની જરૂર નથી હોતી,
ક્યારેક ક્યારેક તારી આંખો પણ એ કામ બહુ સારી રીતે કરી જાય છે.
કારણકે હંમેશા દિલના ઘાવો ભરવા માટે મલમની જરૂર નથી હોતી,
ક્યારેક ક્યારેક તારી હોઠો પરની હંસી પણ એ કામ બહુ સારી રીતે કરી જાય છે.
છંતાયે જીદંગીમાં ઘાવ આપવાનો ઠેકો ખાલી કંઇ દુઃખો એ જ નથી લિધો હોતો,
ક્યારેક ક્યારેક સુઃખો પણ હસતા હસતા એ કામ બહુ સારી રીતે કરી જાય છે.
” અસ્તિત્વ “–અનાયાસ ઝિંઝુવાડીયા
માનવીની પરિપક્વતાનું માપ એના અનુભવોની ડાળીઓએ જોએલી પાનખરના આંકથી થાયછે,
એવી જ રીતે લાગણીઓની હુંફની પરકાષ્ઠાનું માપ એ તો પ્રણયના દરિયાનાં ઊંડાણમાં ડુબવાના અનુભવથી જ થાય છે,
કારણકે ફૂલોતો ખિલે છે બાગમાં રોજ સવાર-સાંજ ખુબજ સુંદરતાથી,
પરંતુ ગુલાબના ફૂલોનું અસ્તિત્વ એ તો એના ગર્ભમાંથી વહેતી સુગંધની બહારથી જ થાય છે.
” આંશિક ” -અનાયાસ ઝિંઝુવાડીયા
” સપના અને વસ્તવિકતા વચ્ચે નો ફરક એટલો જ હોય છે ખાલી,
કે ઘણા જીવતા જ મરેલા હોય છે અને ઘણા તો મરીને પણ જીવી જાય છે,
કે જીવન-મરણ નુ આ ચક્ર આપડા હાથ મા નથી હોતુ,
કારણ કે અન્તે તો બધુ રાખ જ બની જાય છે.
કે ભલેને જીદંગી ની આ રેસ મા કોઇ કેટલુ પણ કેમ ના જીતે
પણ અંતે મોત ના હાથે તો હારી જ જવાય છે “
“અનુભૂતી “–અનાયાસ ઝિંઝુવાડીયા
“પ્રેમની અનુભૂતીને વાસ્તવિકતાના પ્રમાણ પત્રો નથી હોતા,
તારી આંખોની લાગણીઓની ભાષા ના સમજે એવા મારા હ્દયના એકેય ધબકાર નથી હોતા,
આમતો દુનિયામાં ઘણા કવિઓ આબેહૂ વર્ણવે છે પ્રેમની લાગણીઓ ને એમના શબ્દોમાં ,
પણ તારા પ્રેમના સાગરને વર્ણવા માટે શબ્દોના આકારતો એ કવિઓ પાસેય નથી હોતા.”
” પ્રેમ ” — અનાયાસ ઝિંઝુવાડીયા
“ જીદંગીને પણ ભારે પડે છે સમજવા જીદંગીના જ મુકામો,
પ્રગતીના નામે તો બધા જ મરી જાય છે.
આંખોથી આંખોની ભાષામાં સમજાવાનો હોય છે પ્રેમ,
પણ ખબર નહીં કેમ હમેંશા પ્રેમ શબ્દ સમજવામાં જ જીદંગી નીકળી જાય છે “
” મરજીવો ” – અનાયાસ ઝિંઝુવાડીયા
” તારી પ્રેમની નાવડીમાં મુસાફર બની ફરું છું,
તારા વિશ્વાસના દરીયામાં મરજીવો બની તરું છું,
ભલે જીદંગીના તુફાનો લઇ જાય છે પ્રેમની નાવડીને તારા કિનારાથી દૂર,
પણ તારી લાગણીના હલેસા મારી ફરી આ જ કિનારે આવી તરું છું. “
” યાદ “– અનાયાસ ઝિંઝુવાડીયા
” ક્યારેક પ્રેમની પંક્તિએ વર્ણવેલી મે તને મારા શબ્દોમાં,
હજી આજે પણ એનું અસ્તિત્વ એટલું જ તાજા છે મારી યાદોમાં.
હતો એક સમય કે જ્યારે બેસતા હતા આપડે એ ગુલાબની કળીઓમાં,
આજે તો એ ગુલાબ ના કાંટા પણ રડે છે તારી-મારી જ યાદોમાં.
નથી અફસોસ મને કે કેમ એ યાદોની આજે પાનખર છે આવી,
કારણ કે આજે હું બહુંજ ખુશ છું કે આખરે તો તું મારા દિલના દ્વારે જ આવી.
કારણ કે હોય છે સમય બહુંજ થોડો જીવવા માટે જીદંગીમાં,
એટલેજ મારું મન આજે કહે છે કે લઇ ચલુ તને પાછો એ જ ગુલાબની કળીઓની યાદોમાં. “
” સાથ ” – — અનાયાસ ઝિંઝુવાડીયા
” જીદંગીના અંધારે અમે પણ સાથ શોધવા નીકળ્યા હતા પડછાયાનો,
કારણકે એકલતાથી તો આ જીદંગી પણ ગભરાય છે,
આપણા સાથની જરૂરતો પડછાયાને પણ પડે છે એટલી જ,
કારણકે આપણા વગર જીદંગીતો એની પણ સૂની બની જાય છે ”


