“કંઈક કહેવું છે”
AUGUST 1, 2010
1.
જિંદગીની રાહો પર મંઝીલની તલાશે નીકળ્યા હતા અમે પણ , જો હતાશા ઓના વીસમા મળ્યા ન હોતતો મંઝીલ સુધી કેમ નો પહોચેત ?
2.
મંઝીલના મુકામને કોઈ પર્યાય હોતા નથી , મુસાફિર છે તું આનંદના માર્ગે ચાલ્યો જ તું.
3.
મંઝીલ દેખાય છે તો રસ્તાની ચિંતા કેમ કરે છે, મુસાફર એ ભટકી જાય છે જેને મંઝીલ કરતા રસ્તા વધારે દેખાય છે.
August 9th 2010
1. ” જિંદગીની આ મુસાફરીમાં ક્યારેક જોઈ છે આવતી પાનખર તો ક્યારેક જોઈ છે આવતી વસંત , પણ અનુભવના પાન ખરે પાનખરમાં એવા કે વસંતનું મહત્વ સમજાય છે મને આજે “
September 16th 2010
“આંખોનાં ઊંડાણમાં ડૂબવા ગયો તે લાગણીના સાગરમાં તરી ગયો … પ્રેમ એવો એક પ્રસંગ ઝીંદગી નો જે મરજીવાને મરતા મરતા તરતા શીખવી ગયો”
September 30th 2010
” વિરહની વેદનાના ખારા આસું,
પ્રણયની રાહ પર મિઠી યાદના ઝરણા બનાવી જાય છે
તડપ એ મહત્વનો અંદાઝ છે પ્રેમનો,
આંખો ખુલ્લી તોય આખુ જગ નહિવત વિસરી જાય છે
દિદાર કરવા હવે આંખોની દ્રષ્ટીનું હું શું કરૂં,
બંધ આંખોએ તારી ઝલકની સુંદરતા અવિરત ખીલી જાય છે “

અનાયાસભાઈ હજુ તો ઊગીને ઉભા થાવ છો અને વસંત,પાનખર બધું જોઇ લીધાનો ભાવ કેમ જાગ્યો…..
આવતી દરેક પળને વાસ્તવિક દ્રષ્ટિએ જ જોવાનો આગ્રહ રાખવા જેવો છે.
જિંદગીની મુસાફરીના હજુ તો પ્રથમ તબક્કામાં છે…
હું ય સુરેન્દ્રનગરનો છું હો! વઢવાણ ખાંડીપોળ દરવાજે સોસાયટીમાં હજુ મારા ફૈબા વિ. રહે છે.
વ્યવસાયે હું ફેમિલી ફિઝિશ્યન છું આમ રાજકોટ રહું છું પણ મારા બન્ને સન અહીં કેલિફોર્નીયામાં સ્થાયી થયા છે એટલે અહીં છું.
તને મળીને આનંદ થયો….
wah bhai khubh j saras lakho 6o
haji wadhu post karwa winntii
jo facebook ma hoe to add karjo maru id 6
joshiabhay1@gmail.com
khubaj saaras blog ch….